પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-II માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવા અને સમર્પણની ઉજવણી કરે છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે પ્રત્યેક પુરસ્કાર વિજેતા સમાજ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાના શ્રેષ્ઠ પ્રતીક સમાન છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પુરસ્કાર વિજેતાઓની જીવન સફર અસંખ્ય નાગરિકોને પ્રેરણા આપે છે અને દરેકને સખત પરિશ્રમ તેમજ સેવાના સામર્થ્યની યાદ અપાવે છે.
https://x.com/narendramodi/status/2069440845900861574
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું;
“રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-II માં ઉપસ્થિત રહ્યો, જ્યાં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવા અને સમર્પણની ઉજવણી કરે છે. પ્રત્યેક પુરસ્કાર વિજેતા સમાજ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાના શ્રેષ્ઠ પ્રતીક સમાન છે. તેમની જીવન સફર અસંખ્ય નાગરિકોને પ્રેરણા આપે છે અને દરેકને સખત પરિશ્રમ તેમજ સેવાના સામર્થ્યની યાદ અપાવે છે.