HomeગુજરાતPAN CARD વિના 10 લાખ રૂપિયા સુધીની રોકડ લેવડ - દેવડ

PAN CARD વિના 10 લાખ રૂપિયા સુધીની રોકડ લેવડ – દેવડ

#PAN CARD માટેના નવા નિયમ અનુસાર એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ ઉપાડવા કે જમા કરવા પર જ પાનકાર્ડ આપવું ફરજીયાત બનશે. હાલ એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરવા પર જ પાનની જરૂર પડે છે.


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી)એ શુક્રવારે ઈન્કમટેકસ એકટ-2025 માટે નવા નિયમોનું નોટીફીકેશન જાહેર કરી દીધું છે. તેમાં નોકરિયાત લોકોને મકાન ભાડા (એચઆરએ) પર મળતી ટેકસ છુટનું ક્ષેત્ર વધારી દેવામાં આવ્યું છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ પડી જશે.

 

ગાડી ખરીદવાના મામલામાં જો કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે તો પાન આપવું પડશે. જૂના નિયમોમાં ટુ વ્હીલર માટે પાનની જરૂરિયાત નહોતી અને કારો માટે તે દરેક કિંમત પર જરૂરી હતું.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત